દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન શરૂ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લામાં આગામી ૭મે ૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. આગામી લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો 100% મતદાન કરે તે હેતુથી દિવ્યાંગ મતદારોને મતદાન બાબતની કોઈપણ પ્રકારની માહિતી મેળવવા તેમજ પ્રશ્નોના નિવારણ માટે પી ડબલ્યૂ ડીના નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પીડબલ્યૂડી નોડલ અધિકારી દ્વારા મતદાન બાબતે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૭૬-૨૮૫૭૧૨ ઉપર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા તમામ દિવ્યાંગ મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Related posts

Leave a Comment